સંપૂર્ણ ૨ પ્રતિક્રમણ (Two Pratikraman Sutra)
પર્યુષણ વિભાગ (Paryusan - Thoy - Stavan)
અન્ય સુત્રો (Other Sutra)
શ્રી નમસ્કાર મહામંત્ર / Shree Navakar Mantra
આ સૂત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ એમ પંચ-પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યો છે.
પંચિંદિય (ગુરૂસ્થાપના) સૂત્ર / Panchindiy Samvarano
આ સૂત્રમાં આચાર્ય મહારાજ ના છત્રીસ ગુણોનું વર્ણન છે. સ્થાપનાચાર્ય સ્થાપતી વખતે આ સૂત્ર બોલાય છે.
ખમાસમણ (પ્રણિપાત) સૂત્ર / Icchami Khamasamano
જિનેશ્વર પ્રભુ તથા ગુરુ મહારાજ ને ખમાસમણ દેતી વખતે આ સૂત્ર બોલાય છે.
ઈચ્છકાર સૂત્ર / Icchakar Suharai
આ સૂત્રથી ગુરુ મહારાજની સર્વ પ્રકારે ભક્તિપૂર્વક સારસંભાળ રાખવા સાથે સંયમ, તપ, શરીર વગેરે સંબંધી સુખ-શાતા પુછાય છે.
અબ્ભુટ્ઠીઓ સૂત્ર / Abbhutthio Sutra
આ સૂત્રથી ગુરુ મહારાજને આપણાથી જે જે અપરાધ થયા હોય તે જાહેર કરી તેમની પાસે પશ્ચાતાપ પૂર્વક માફી માગવામાં આવે છે.
ઈરિયાવહિયં સૂત્ર / Iriyavahiya Sutra
આ સૂત્રમાં હાલતાં, ચાલતાં, જતા આવતા આપણાથી જીવહિંસા થઇ જવાથી જે પાપ લાગ્યા હોય, તે દૂર કરવા માફી માગવામાં આવી છે.
તસ્સ ઉત્તરી સૂત્ર / Tassauttari karanenam
આ સૂત્રમાં ઇરિયાવહિયા સુત્રથી દૂર કરવામાં આવ્યા છતાં રહી ગયેલા પાપનો નાશ કરવા માટે કાઉસ્સગ્ગ કરવાના ચાર હેતુઓ બતાવ્યા છે.
અન્નત્થ (આગાર) સૂત્ર / Annattha usasienam
આ સૂત્રમાં કાઉસ્સગ્ગ કરવાની રીત, દ્રઢતા, પૂરો કરવાની મર્યાદા તેમજ સોળ આગરોનું વર્ણન કરેલ છે.
લોગસ્સ (નામસ્તવ) સૂત્ર / Logassa Ujjoagare
આ સૂત્રમાં આત્મ-કલ્યાણમાં આગળ વધવા ચોવીશ તીર્થંકર ભગવંતોની નામપૂર્વક સ્તુતિ છે.
કરેમિ ભંતે સૂત્ર / Karemi Bhante
આ સૂત્રમાં સામાયિક ગ્રહણ કરવાની મહાપ્રતિજ્ઞા છે, અને સાવદ્ય યોગરૂપ પાપનું પચ્ચક્ખાણ છે.
સામાયિક પારવાનું સૂત્ર / Samaiya vayjutto
"પરમ ચારિત્રધર્મ" ની આરાધના માટે વારંવાર સામાયિક કરવા જોઇયે. આ ભાવના ટકાવી રાખવા માટે સામાયિક પારતી વખતે આ સુત્ર બોલાય છે.
જગ-ચિંતામણિ ચૈત્યવંદન સૂત્ર / Jagachintamani Jaganah
આ સૂત્રમાં અષ્ટાપદ પર બિરાજેલા ચોવીસ તીર્થંકરો, વીશ વિહરમાન તીર્થંકરો, પ્રસિધ્ધ તીર્થો, સર્વ ચૈત્યો, પ્રતિમાઓ તથા મુનિઓ વગેરેને વંદન કરવામાં આવેલું છે.
જંકિંચિ સૂત્ર / Jankinchi Namtittham
આ સૂત્રમાં જે કોઈ નામમાત્ર થી પ્રસિધ્ધ જૈન તીર્થ હોય, તેને તથા ત્રણ લોકમાં રહેલી જિનપ્રતિમાઓને નમસ્કાર કરેલ છે.
નમુત્થુણં ( શક્રસ્તવ ) સૂત્ર / Namutthunam Arihantanam
આ સૂત્રથી ઇન્દ્ર મહારાજ પ્રભુના પાંચેય કલ્યાણકોમાં અરિહંત ભગવાનના ગુણોની સ્તવના કરે છે.
જાવંતિ ચેઈઆઈં સૂત્ર / Javanti Cheiyaim
આ સૂત્રમાં ત્રણ લોકમાં રહેલી સર્વ શ્રી જિનપ્રતિમાઓને નમસ્કાર કરેલ છે.
જાવંત કેવિ સાહૂ સૂત્ર / Javant kevisahu
આ સૂત્રમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રની અંદર રહેલા સર્વ સાધુ-સાધ્વી મહારાજાઓને નમસ્કાર કરેલ છે.
પંચ-પરમેષ્ઠી નમસ્કાર સૂત્ર / Namorhat
ચૌદ પૂર્વમાંથી ઉદ્રુત કરેલ આ સૂત્રમાં શ્રી પંચ-પરમેષ્ઠીને નમસ્કાર કરેલ છે.
ઉવસગ્ગહરં સૂત્ર / Uvasaggaharam Pasam
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગુણોની સ્તુતિરૂપ આ સ્તોત્ર શ્રી ભદ્રબાહુસ્વામિનું રચેલું છે. તે સર્વ વિઘ્નોનો નાશ કરનારું છે.
જયવીયરાય (પ્રાર્થના) સૂત્ર / Jayviyaray Jagaguru
આ સૂત્રમાં પ્રભુ પાસે મન, વચન, કાયાની એકાગ્રતાપૂર્વક કેટલીક ઉત્તમ પ્રાથનાઓ કરવામાં આવેલ છે.
અરિહંત ચેઈયાણં સૂત્ર / Arihant Cheiyanam
આ સૂત્રમાં શ્રી જિનપ્રતિમાઓની આરાધનાઓનું કાઉસગ્ગ કરવાના નિમિત્તોનું અને તે વખતે રાખવાની ભાવનાઓનું વર્ણન છે.
કલ્લાણ કંદં સ્તુતિ / Kallankandam
આ સ્તુતિમાં (૧)ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી (૨)સર્વ જીનેશ્વર (૩)જીનાગમ (૪) શ્રુતદેવી ની અનુક્રમે ગાથામાં સ્તુતિ છે.
સંસારદાવાનલ સ્તુતિ / Sansardava
આ સ્તુતિમાં (૧)મહાવીરસ્વામી, (૨)સર્વ જીનેશ્વર, (૩)જીનાગમ, (૪)શ્રુતદેવી ની અનુક્રમે ગાથામાં સ્તુતિ છે.
પુક્ખરવરદીવડ્ઢે (શ્રુતસ્તવ) સૂત્ર / Pukkaravar divaddhe
આ સૂત્રમાં અઢીદ્વીપમાં વિચરતા એક સરખા શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરનારા ત્રણ કાળના તીર્થંકર ભગવંતોને નમસ્કાર કરવાપૂર્વક શ્રુતજ્ઞાનનાં મહત્વની સ્તુતિ કરેલ છે.
સિદ્ધાણં બુદ્ધાણં (સિદ્ધસ્તવ) સૂત્ર / Siddhanam Buddhanam
આ સૂત્રમાં સર્વ સિદ્ધોની(૧), મહાવીરસ્વામી(૨-૩), નેમિનાથ(૪), અષ્ટાપદ પર બિરાજમાન ૨૪ તીર્થંકર(૪) ની અનુક્રમે ગાથામાં સ્તુતિ કરેલ છે.
વેયાવચ્ચગરાણં સૂત્ર / Veyavacchagaranam
આ સૂત્રમાં શ્રી સંઘમાં શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ માટે સમકિતવંત દેવોનું સમ્યગ્દર્શનની શુધ્ધિની અપેક્ષાએ સ્મરણ કરવામાં આવ્યું છે.
ભગવાનાદિ વંદન સૂત્ર / Bhagavan ham Aacharya ham
આ સૂત્રમાં સંક્ષેપમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યો છે.
દેવસિઅ પડિક્ક્મણે ઠાઉં સૂત્ર / Devsia Padikamane thau
આ સૂત્રમાં લાગેલા પાપને અતિ ટૂંકમાં કહીને તેની માફી માંગવામાં આવી છે.
ઈચ્છામિ ઠામિ સૂત્ર / Icchami Thami Kausaggam
આ સૂત્રમાં જુદા જુદા આચારોને લાગતા અતિચારો-પાપો લાગ્યા હોય, તેનું ટૂંકમાં પ્રતિક્રમણ બતાવ્યું છે.
પંચાચારના અતિચારોની ગાથાઓ / Nanammi Dansanammia
આ આઠ ગાથાઓમાં જ્ઞાનાદિ પાંચના આચાર અને તેના અતિચારો છે.
સુ-ગુરુ-વંદના સૂત્ર / Vaandana Sutra
આ સૂત્રથી સદ્દગુરુને ભક્તિ અને બહુમાનપૂર્વક વંદન કરી તેમના પ્રત્યે થયેલા દોષોની ક્ષમા યાચવામાં આવી છે.
દેવસિઅં આલોઉં સૂત્ર / Devsiam Aalou
આ સૂત્રથી દેવસિક આલોચના કરવાનો આદેશ માંગવામાં આવે છે.
સાત લાખ / Satlakh Pruthvikay
આ સૂત્રમાં ચોરાશી લાખ યોનીથી ઉત્પન્ન થતા જે જીવોની વિરાધના કરી હોય, તેમને મિચ્છામી દુક્કડં દેવામાં આવે છે.
અઢાર પાપસ્થાનક સૂત્ર / Adhar Papsthanak
આમાં અઢાર પાપોના નામ બોલીને તેની ક્ષમા માંગવામાં આવે છે.
વંદિત્તુ (શ્રાદ્ધ-પ્રતિક્રમણ) સૂત્ર / Vandittu Savva siddhe
આ સૂત્રમાં શ્રાવક ના પાંચ આચાર, બાર વ્રતો, અને બીજા ધર્મકર્તવ્યોમાં લાગતા દોષોના પશ્ચાત્તાપ સાથે, ફરીથી ના થાય તેની સાવચેતી રાખવા પૂર્વક નિંદા કરવામાં આવે છે. તથા રોજ પ્રતિક્રમણ કરવાના હેતુઓ અને સર્વ જીવોની ક્ષમાપના વગેરે આવે છે.
આયરિય ઉવજ્ઝાએ સૂત્ર / Aayaria Uvajjae
આ સુત્રમાં આચાર્ય, ઉપાધ્યાય, સકળસંઘ તથા સર્વ જીવો ઉપર ક્રોધ થયો હોય એની તથા બીજા જે કોઈ અપરાધ થયા હોય તે સર્વની ક્ષમાપના કરવામાં આવે છે.
નમોઅસ્તુ વર્ધમાનાય સૂત્ર / Namostu Vardhamanay
વીર પરમાત્મા, સર્વ તીર્થંકરો, જિનવાણીની ક્રમશ: ગાથામાં સ્તુતિ છે. સાંજે ૬ આવશ્યકની પૂર્તિરૂપે આનંદ જાહેર કરવા ચૈત્યવંદન રૂપે દેવસીય પ્રતિક્રમણમાં બોલાય છે.
વિશાલલોચન સૂત્ર / Vishal lochan dalam
વીર પરમાત્મા, સર્વ તીર્થંકરો, જિનાગમની ક્રમશ: ગાથામાં સ્તુતિ છે. સવારે ૬ આવશ્યકની પૂર્તિરૂપે આનંદ જાહેર કરવા ચૈત્યવંદન રૂપે રાઈય પ્રતિક્રમણમાં બોલાય છે.
સુઅ-દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગં / Suadevaya Bhagavai
શ્રુતદેવતાની સ્તુતિ : સુઅ-દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગં : આ શ્રુતદેવતાની સ્તુતિ છે, તે પુરુષો જ બોલે છે.
ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગં / Jise khitte Sahu
ક્ષેત્ર-દેવતા ની સ્તુતિ : ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગં : આ ક્ષેત્ર-દેવતા ની સ્તુતિ છે, તે પુરુષો જ બોલે છે.
કમલદલ સ્તુતિ / Kamaldal Vipulnayana
કમલદલ સ્તુતિ : આ શ્રુતદેવતાની સ્તુતિ, તે સ્ત્રીઓ જ બોલે છે.
ભવનદેવતા ની સ્તુતિ / Gyanadi gunuttanam
આ ભવનદેવતા ની સ્તુતિ છે. જે પાક્ષિક પ્રતિક્રમણમાં બોલાય છે. ભવનનો અર્થ મકાન થાય છે.
ક્ષેત્રદેવતાની સ્તુતિ / Yasyaxetra samasritya
આ ક્ષેત્રદેવતાની સ્તુતિ છે. જે પાક્ષિક પ્રતિક્રમણમાં બોલાય છે.
અડ્ઢાઈજ્જેસુ (મુનિ-વંદન) સૂત્ર / Addhaijesu Divasamuddesu
આ સૂત્રથી અઢી દ્વિપમાં રહેલા મુનિઓને નમસ્કાર કરવામાં આવે છે.
વર-કનક (સપ્તતિ-શત-જિન) સ્તુતિ / Varakanak Sankh vidduma
આમાં જુદા જુદા શરીર ધારણ કરનારા સર્વ ક્ષેત્રોમાં એકી સાથે વધુમાં વધુ સંભવતા, ૧૭૦ તીર્થંકરોને વંદન કરવામાં આવે છે. તે પુરુષો જ બોલે છે.
શ્રી નાડોલ નગરમાં મરકી હઠાવવા શ્રી માનદેવસૂરીજીએ આ સ્તોત્ર રચ્યું.એને ભણવાથી, સાંભળવાથી તથા એના વડે મંત્રેલુ જળ છાંટવાથી સર્વ રોગો દૂર થયા હતા અને થાય છે; તથા શાંતિ ફેલાય છે. સૂત્રમાં શાંતિનાથ પ્રભુનું નામ મંત્રાક્ષર રૂપે છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગુણોની સ્તુતિરૂપ ચૈત્યવંદન છે.
આ સજ્ઝાયમાં પ્રાતઃ સ્મરણીય બ્રમ્હ્ચારી, દાનેશ્વરી, તથા તપસ્વી વગેરે ઉત્તમ પુરુષો અને મહાસતીઓના નામો ગણાવ્યા છે.
આ સજ્ઝાયમાં શ્રાવકને કરવા યોગ્ય છત્રીસ કૃત્યોનું વર્ણન છે.
આમાં ત્રણ લોકની અંદર આવેલા શાશ્વતા-અશાશ્વતા ચૈત્યો તથા તેની અંદર રહેલી પ્રતિમાઓની સંખ્યા બતાવી તેમને નમસ્કાર કરવામાં આવ્યો છે. આ તીર્થમાળા શ્રી જીવવિજયજી મહારાજાએ રચેલ છે.
૨૭ ભવનું સ્તવન / 27 Bhav nu Stavan
૨૭ ભવનું સ્તવન
મહાવીર સ્વામી હાલરડું / Mahavir Swami Halardu
મહાવીર સ્વામી હાલરડું
પંચ કલ્યાણક સ્તવન / Pancha Kalyanak Stavan 3 Dhal
પંચ કલ્યાણક સ્તવન
મણી રચિત સિંહાસન થોય / Manirachit Sinhasan Thoy
મણી રચિત સિંહાસન થોય
પુણ્યનું પોષણ થોય / Punya nu posan Thoy
પુણ્યનું પોષણ થોય
વરસ દિવસમાં થોય / Varas divas ma Thoy
વરસ દિવસમાં થોય
શ્રી સ્નાતસ્યા થોય / Snatasya ni thoy
શ્રી સ્નાતસ્યા થોય
શ્રી સકલાર્હત સ્તોત્ર / Sakalarhat Sutra
શ્રી સકલાર્હત સ્તોત્ર
શ્રી પાક્ષિક અતિચાર / Atichar
શ્રી પાક્ષિક અતિચાર
શ્રી જયતિહુણ સ્તોત્ર / Jay Tihuan Stotra
શ્રી જયતિહુણ સ્તોત્ર
શ્રી ચૈત્યવંદન ભાષ્ય / Chaityavandan Bhasya
શ્રી ચૈત્યવંદન ભાષ્ય
શ્રી પંચ સૂત્ર / Pancha Sutra
શ્રી પંચ સૂત્ર
સંથારા પોરિસિ સૂત્ર / Santhara Porisi
સંથારા પોરિસિ સૂત્ર
શ્રી ઋષિમંડળ સ્તોત્ર / Rushimandal Stotra
શ્રી ઋષિમંડળ સ્તોત્ર
શ્રી શાંતિધારા પાઠ / Shantidhara Path
શ્રી શાંતિધારા પાઠ
શ્રી વર્ધમાન શક્રસ્તવ સ્તોત્ર / Vardhaman Shakrastav
શ્રી વર્ધમાન શક્રસ્તવ સ્તોત્ર